Saturday, April 28, 2012

પ્રચાર પુષ્પનો

હૃદયની આર-પાર છે.
સ્મરણ આ ધારદાર છે.

નહીં રૂઝાય ઘાવ આ,

અતીતનો પ્રહાર છે.

આ દેહ કાયમી નથી,
આ શ્વાસ પણ ઉધાર છે.

તમે કહો સુગંધ પણ,
એ પુષ્પનો પ્રચાર છે.

કદી જતાવતો નથી,
હા, પ્રેમ બેશુમાર છે.

-ભાર્ગવ ઠાકર.
(link to blog)
Photo Credit: Click Here


Related Posts Plugin for WordPress, Blogger...